Saturday, January 17, 2009

છેતરાવાના જ આઘાતે લખું છું

પળેપળ છેતરાવાના જ આઘાતે લખું છું,
કલમ ત્યાગી હવે હું ટેરવાં વાટે લખું છું.

નથી સંભવ શબદમાં લાગણીઓને કહેવી,
છતાં કૈં ભાર હળવો થાય એ માટે લખું છું.

અમારે કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું

ધરા પર હું લખું છું,આ ગગન પર હું લખું છું,
લખું છું હા,પ્રથમ વરસાદના છાંટે લખું છું

અમારી જિંદગીમાં પણ ફુલો ખીલી શકે છે,
ધબકતી ઝંખના હર પાંદડે, કાંટે લખું છું.

- કવિતા મૌર્ય

No comments:

Post a Comment

LIST

.........